આનંદીબહેન પટેલને સોંપાયો છત્તીસગઢના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો
Live TV
-
છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી ટંડનનું અવસાન થતાં લેવાયો નિર્ણય
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો સોંપ્યો છે. છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી ટંડનનું અવસાન થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. છત્તીસગઢના નવા રાજ્યપાલની નિમણૂંક ના થાય ત્યાં સુધી આનંદીબહેન છત્તીસગઢના રાજ્યપાલ પદનો હવાલો સંભાળશે. બલરામજીદાસ ટંડન તે ભાજપના મૂળ સંગઠન જનસંઘના સ્થાપક સભ્ય હતા.
