રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 72મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોદન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 72મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોદન કર્યું હતું. રાષ્ટ્રને સંબોધતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ત્રિરંગો દેશનું ગૌરવ છે. આ દિવસે દેશ સંપ્રભુતાનો ઉત્સવ મનાવે છે. આ પ્રસંગે દેશની અન્ન સુરક્ષા માટે કાર્યરત ખેડૂતો અને સરહદે અડીખમ ઉભા રહેતા સૈનિકોને ખાસ યાદ કર્યા હતા. બંનેના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ છે. મહિલા આઝાદીને સાર્થક કરવાની હાકલ કરતાં ઉજ્જવલા યોજનાથી મહિલા સશક્તિકરણ થયું છે. યુવાનોના કૌશલ્યવર્ધન માટે સરકાર કાર્યશીલ હોવાનું કહેતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સમાજ અને સરકારની સહભાગિતાથી જ સરકાર અગળ વધશે. થોડા સપ્તાહ પછી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી થશે તેવી યાદ અપાવતાં ગાંધી મૂલ્યોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી.
