આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને અટકાવવા દિશાનિર્દેશ કર્યા જાહેર
Live TV
-
જો કોરોના વાયરસના લક્ષણ જણાય તો આરોગ્ય મંત્રાલયના હેલ્પલાઈન નંબર 011-23978046 પર કોલ કરવો
આ દિશાનિર્દેશમાં જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જણાય તો તેને અલગ રૂમમાં રાખવો જોઈએ. તેમજ પરિવારના સભ્યોમાં લક્ષણ જણાય તો અન્ય સભ્યોએ તેનાથી એક મીટરનું અંતર રાખવુ જોઈએ. આવા સભ્યને ઘરના વડિલો, બાળકો અને ગર્ભવતી મહિલાઓથી દૂર રાખવા જોઈએ. તો કોરોના પ્રભાવિત દર્દીને કોઈપણ ધાર્મિક સભા કે લગ્ન અથવા શોકસભામાં સામેલ ન થવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમજ હાથને સમયાંતરે સાબુથી ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝરથી સ્વચ્છ કરવા જણાવવામાં આવ્યું છે. પ્રભાવિત વ્યક્તિએ હંમેશા સર્જીકલ માસ્ક પહેરી રાખવા અને સર્જીકલ માસ્ક દર 6 થી 8 કલાકે બદલતા રહેવાનું પણ આ દિશાનિર્દેશમાં જણાવવામાં આવ્યું છે. ખાંસી, તાવ, શ્વાશ લેવાની તકલીફ જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
