આરોગ્ય મંત્રાલયે દેશભરમાં જેટલા લોકોએ વેક્સિન લીધી છે તેનો પ્રોવિઝનલ ડેટા કર્યો જાહેર
Live TV
-
દેશભરમાં શરૂ થયેલા કોરોના વેક્સિનેશન અભિયાન અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આરોગ્ય મંત્રાલયે દેશભરમાં જેટલા લોકોએ વેક્સિન લીધી છે તેનો પ્રોવિઝનલ ડેટા જાહેર કર્યો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, વેક્સિનેશનનો પહેલો દિવસ ખૂબ જ સફળ રહ્યો છે. દેશમાં એકસાથે 3 હજાર 351 કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવ્યું હતું. પહેલા જ દિવસે 1 લાખ 65 હજાર 714 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી અને તેમાંથી એક પણ વ્યક્તિને કોઈ આડ અસર થઈ નથી. સ્વાસ્થ્ય મંત્રીએ આ અંગે કહ્યું હતું કે, ભારતની વેક્સિન કોરોના સામેની લડાઈમાં સંજીવનીનું કામ કરશે.
