આર્મીનો પાક.ને જવાબ, ફાયરિંગમાં 10 પાકિસ્તાની સૈનિકો મરાયા ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સીમા પર સોમવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ અકારણ ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ ગોળીબારમાં બીએસએફના એક જવાન શહિદ થયાની સાથે 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
પાકિસ્તાન તરફથી ભારતીય સીમાડે સતત કરાતા યુદ્ધ વિરામ ભંગને પગલે ભારતીય જવાનાએ તેનો જડબાતોડ જવાબ આપતા 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતીય સૈન્ય તરફથી મળેલી માહિતી મુજબ રાવલકોટના રંગ ચિક્રી સેકટરમાં ભારતીય સેનાએ પોતાના પરાક્રમથી પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
