'હમ નિભાયેંગે' નામથી કોંગ્રેસ પક્ષે દિલ્હીમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
Live TV
-
અમે નિભાવીશુના વચન સાથે કોંગ્રેસે લોકસભાની ચૂટણી માટેનો ચૂટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગરીબોને લઘુતમ આવકની ન્યાય યોજના , યુવાનોને રોજગારી અને ખેડૂતો માટે બજેટમાં વિશેષ જોગવાઇના વચનોની લ્હાણી કોંગ્રેસે કરી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર આજે જાહેર કર્યું છે. લોકસભા ચૂંટણી 2019 માટે ઘોષણાપત્રમાં સેનાનું આધુનિકીકરણ, રાઈટ ટૂ ફ્રી હેલ્થકેર અને પ્રદૂષણ જેવા મુદ્દે વાયદા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષે આજે 'હમ નિભાયેંગે' શીર્ષકથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે ઘોષણાપત્રમાં 2030 સુધી ગરીબીનું નામોનિશાન મિટાવવા માટે કોંગ્રેસે ન્યૂનત્તમ આવક યોજનાની શરૂઆત કરી છે.
