આવતીકાલે કેન્દ્રસરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે આગામી તબક્કાની બેઠક
Live TV
-
ઘણા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન ના સંદર્ભે આગામી 19 જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી તબક્કાની બેઠક યોજાશે.આ અંગે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને કૃષિ કાયદાના દરેક અનુચ્છેદ પર ચર્ચા કરવા અને કાયદા પરત લેવા સિવાયના જે પણ વિકલ્પ હોય તેને સરકાર સમક્ષ રજૂ કરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રિય કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને જ્યાં પણ મુશ્કેલી પડી રહી છે તે અંગે સરકારને જાણ કરે આથી સરકાર તેના પર વિચાર અને સુધારો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અમને અપેક્ષા છે કે, ખેડૂતો 19 જાન્યુઆરીએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે. તેમના જે પ્રશ્નો છે તેને યોગ્ય દિશા મળી રહેશે એવું કહી શકાય
