આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી તેમના વિચારો વ્યક્ત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આકાશવાણી પરથી પ્રસારિત થતા વિશેષ કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમનું આવતીકાલે સવારે 11 વાગે પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત 2.0 ના આ 22માં ભાગમાં પ્રધાનમંત્રી વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
સવારે 11 વાગ્યે મન કી બાત હિન્દીમાં રજૂ થયા બાદ આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પણ પ્રસારણ કરવામાં આવશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરવામાં આવશે.
આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરવામાં આવશે તેમજ DD ન્યૂઝ અને ન્યૂઝ ઓન એરની વેબસાઇટ પરથી પણ પ્રસારણ કરાશે.
