આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 17 જિલ્લામાં બચાવ કાર્યની ટીમ મોકલાઈ
Live TV
-
આસામમાં પુરની સ્થિતિ ગંભીર બની છે. નદીઓના તટ તુટવાના કારણે નવા વિસ્તારો પુરગ્રસ્ત બન્યા છે. 17 જિલ્લામાં ચાર લાખથી વધુ લોકો પુરના પ્રક્રોપ નીચે છે. ચીરાંત જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે સેના મોકલવામાં આવી છે.
રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર દળોને પુરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાયા છે. પુરના કારણે સડક માર્ગ, ખૂબ જ બેહાલ બન્યો છે. અંદાજે 2000થી વધુ લોકોને અસ્થાયી રાહત શિબિરોમાં શરણ અપાઇ છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના લીધે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઇ છે.
