તમિલનાડુથી દુકાળગ્રસ્ત ચેન્નઈ માટે રવાના થઈ ટ્રેન, 50 હજાર લિટર પાણી મોકલાયું
Live TV
-
પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ચેન્નઈને આજે વેલ્લોરથી ખાસ પાણીની ટ્રેન મોકલવામાં આવી હતી. વેલ્લોરના જોલારપેટ સ્ટેશનથી શુક્રવારે સવારે 50 પાણીના ટેન્કર ધરાવતી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ ટ્રેનના પ્રત્યેક ટેન્કરમાં 50 હજાર લિટર પાણી સમાઇ શકે તેવા 50 ટેન્કર સાથેની આ ખાસ ટ્રેન બપોરે બે વાગ્યાના સુમારે ચેન્નઈ પહોંચી હતી. જેના કારણે ચેન્નઈના લોકોને રાહત મળી હતી.
