આસામમાં પૂરને લઇને 50 હજાર હેકટરથી વધુ ક્ષેત્રમાં પાકને થયું નુકસાન
Live TV
-
આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પીડિતો માટે 56 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. રાજ્યસરકારે 300થી વધુ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. જેમાં 16 હજારથી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.
તો બીજી તરફ આસામમાં પણ સતત પડી રહેલા વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કેટલાય સ્થળે રસ્તાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે 50 હજાર હેક્ટરથી વધુ ક્ષેત્રમાં પાકને નુકસાન થયું છે. રાજ્યના 28 જિલ્લાઓમાં આવેલા પુરના કારણે 26 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પીડિતો માટે 56 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. રાજ્યસરકારે 300થી વધુ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. જેમાં 16 હજારથી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. પુરના કારણે 10 લોકોના મોત થયા છે. સેનાના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે પહોંચી ચૂક્યા છે.
