સંસદમાં આજે સરોગસી નિયમન વિધેયક 2019 રજૂ કરવામાં આવશે
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધન આ વિધેયક રજૂ કરશે. આ વિધેયકમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને રાજ્યના સરોગસી બોર્ડનું ગઠન તેમજ સરોગસીની પદ્ધતિ અને પ્રક્રિયાના નિયમન માટે અધિકારીઓની નિમણૂંક જેવી જોગવાઈઓ સામેલ છે.
સંસદમાં આજે સરોગસી નિયમન વિધેયક 2019 રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.હર્ષવર્ધન આ વિધેયક રજૂ કરશે. આ વિધેયકમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને રાજ્યના સરોગસી બોર્ડનું ગઠન તેમજ સરોગસીની પદ્ધતિ અને પ્રક્રિયાના નિયમન માટે અધિકારીઓની નિમણૂંક જેવી જોગવાઈઓ સામેલ છે. તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરી, મોટરવાહન સંશોધન વિધેયક 2019 આજે લોકસભામાં રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહ પણ આજે લોકસભામાં એનઆઈએ સંશોધન વિધેયક 2019 સંસદમાં રજૂ કરશે. રાજ્ય સભામાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ 1986ના મધ્યસ્થતા અને સુલેહ અધિનિયમનો સંશોધન માટે મધ્યસ્થતા અને સુલેહ સંશોધન વિધેયક 2019 રજૂ કરશે.
