ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીના વિરોધમાં ભાજપના અનેક કાર્યક્રમ, પ્રધાનમંત્રી લેશે ભાગ
Live TV
-
દેશમાં કટોકટી લાદવાના 43 વર્ષ પૂરા થયાં ભાજપા ઇન્દિરા સરકારના કટોકટી કાળને કાળા દિવસ તરીકે મનાવશે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ.
43 વર્ષ અગાઉ 25 જૂન વર્ષ 1975ની મધ્યરાત્રિએ રાતોરાત કટોકટી જાહેર કરનાર તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પગલું ભારતીય ઇતિહાસમાં કાળા ડાઘ સમાન છે. ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીના વિરોધમાં ભાજપા આજે કાળો દિવસ ઉજવી રહી છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ વરિષ્ઠ નેતાઓ કાળા દિવસ નિમિત્તે દેશભરમાં યોજાનારા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, 43 વર્ષ અગાઉ કટોકટી જાહેર કર્યા બાદ વિપક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર પત્રો પર પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તથા ઇન્દિરા ગાંધી વિરુદ્ધ એક પણ સમાચાર ન પ્રકાશિત કરવા માટે પાબંદી લગાવવામાં આવી હતી
