ઈન્ડિયન મુઝાહિદ્દિનના આતંકવાદી આરિઝ ખાનને ફાંસીની સજા
Live TV
-
દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે ઈન્ડિયન મુઝાહિદ્દિનના આતંકવાદી આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હીમાં વર્ષ 2008 માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ મામલે 8 માર્ચે સાકેત કોર્ટે આતંકવીદ આરિઝ ખાનને દોષી જાહેર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયા હતા બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી આતંકવાદી આરિઝ ખાન નેપાળ ભાગી ગયો હતો અને ત્યાં ઓળખ છુપાવી ને રહેતો હતો જો કે પોલીસે વર્ષ 2018માં નેપાળથી તેની ધરપકડ કરી હતી.
