ઈસરોનું ચંદ્રયાન-2 મિશન, અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ
Live TV
-
15મી જુલાઈને સોમવારે ભારત અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ નોંધાવશે. ચંદ્રયાન - ટુ ભારતની એક એવી શોધ છે , જે ચંદ્રના ઊંડાણોમાં વણ ઉકલ્યા રહેલા રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરશે
15મી જુલાઈને સોમવારે ભારત અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ નોંધાવશે. ચંદ્રયાન - ટુ ભારતની એક એવી શોધ છે , જે ચંદ્રના ઊંડાણોમાં વણ ઉકલ્યા રહેલા રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરશે.. ઈસરોનું ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ વહેલી સવારે 2 વાગેને 51 મિનિટ પર શ્રીહરીકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તે 6 અથવા 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવો અંદાજ છે. તેને ભારતના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ વખતે તેનું વજન 3,877 કિલો હશે. ચંદ્રયાન-2, ચંદ્રયાન-1 મિશન કરતાં ત્રણ ગણો વધારે વજનનો છે. ચંદ્રયાન-1નું વજન 1,380 કિલો હતું, જ્યારે ચંદ્રયાન-2નું વજન3,877 કિલો છે. લેન્ડરની અંદર આવેલા રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડ રહેશે. ભાસ્કર એપ તમને આજે ચંદ્રયાન-2 મિશનમાં સામેલ ચાર મહત્વના સાધનો વિશે જણાવશે...
