ઉત્તરકાશીમાં બસ ખીણમાં ખાબકી, 8 ગુજરાતી યાત્રાળુઓના મોત
Live TV
-
મુખ્યમંત્રીએ યાત્રીઓના મૃતદેહોને હવાઈ માર્ગે ગુજરાત લાવવા મુખ્યસચિવને આપી સૂચના
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના ઉત્તરકાશિમાં બસ ખીણમાં ખાબકી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રિકોના મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત લાવવા તેમજ આ દુર્ઘટનામાં ઈજા પામેલા ગુજરાતી પ્રવાસીઓને યોગ્ય સારવાર અને સલામતી મળે તેવી વ્યવસ્થા કરવા રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એનસિંહને સૂચના આપી છે.
શુક્રવારે સાંજે ગંગોત્રી ધામ મા દર્શન કરી પરત ફરેલ રાજકોટ ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીથી ભરોંસે ટેમ્પો ટ્રેલર વાહન ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગના સુનગર પાસે અકસ્માતગ્રસ્ત બન્યો હતો. આ માહિતી મળતાં જિલ્લા કલેક્ટર ડૉ. આશિષ ચૌહાણ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ બચાવ કામગીરી હાથ ધરી. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને નવ મૃતકના શબને રેસક્યુ કરી 108 દ્વારા પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલાયા હતા
