ઉત્તરપ્રદેશના કન્નોજમાં ગમખ્વાર અકસ્માત
Live TV
-
ઉત્તરપ્રદેશના કન્નોજમાં ટ્રક અને ડબલ ડેકર સ્લીપર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ઘણા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત છિબરામઉ વિસ્તારમાં થયો હતો. અકસ્માત બાદ ટ્રક અને બસ બંનેમાં ભયંકર આગ લાગી હતી. બસમાં 50થી વધુ મુસાફરો હોવાની વાત કહેવામાં આવી રહી છે. જેમાંથી 21 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘણી મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો
