ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માત, 17 લોકોના ઘટના સ્થળે મોત
Live TV
-
જયપુરથી ફરૂખાબાદ જઇ રહેલી બસનો સર્જાયો અક્સ્માત, 35થી વધુ લોકો થયા ઘાયલ.
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બુધવારના રોજ વહેલી સવારે ભયંકર રોડ અકસ્માતમાં 17 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. જયપુરથી ફરૂખાબાદ જઇ રહેલ ડબલ ડેકર પેસેન્જર બસ અનિયંત્રિત થતા પલટી ગઇ હતી.. આ અકસ્માતમાં ઘાયલોને સૈફઇ મિની પીજીઆઈ રેફર કરાયા છે. જ્યાં લગભગ 3 લોકોની સ્થિતિ ગંભીર છે.
આ ઘટના સવારે દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અક્સ્માતમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની થયા છે.. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે.
મૈનપુરી પોલીસે બળની સાથે એસપીએ ઘટનાસ્થળ પર હાજર રહી મૃતકોના મૃતદેહ શબગૃહ અને ઘાયલ યાત્રીઓને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યારે સુરક્ષિત યાત્રીઓને બીજી બસ મંગાવી રવાના કર્યા છે.
