જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, 4 જવાનો શહિદ
Live TV
-
રામગઢ સેક્ટરના હુમલામાં પાંચ નાગરિકોએ ગુમાવ્યો જીવ.
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાને પવિત્ર રમઝાન માસના આખરી તબક્કામાં પણ અટકચાળા કરતાં ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. રામગઢ સેક્ટરમાં પાકિસ્તાને ગઇકાલથી અંધાધૂધ ગોળીબારો શરૂ કર્યા છે. આ ગોળીબારોમાં એક સહાયક કમાન્ડર સહિત સીમા સુરક્ષા દળના ચાર જવાનો શહિદ થયા છે. અંધાધૂધ ગોળીબારોમાં અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા છે. જોકે, ભારત દ્વારા સીમા સુરક્ષા દળના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
