ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ સુદર્શન અગ્રવાલનું નિધન, 1દિવસનો રાજકીય શોક
Live TV
-
ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ સુદર્શન અગ્રવાલનું નિધન થયું છે. તેમણે 8 જાન્યુઆરી 2003થી 28 ઑક્ટોબર 2007 સુધી ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પૂર્વ રાજ્યપાલના નિધન પર 4 જુલાઈના રોજ એક દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે. રાજકીય શોક દરમ્યાન દેશના તમામ કાર્યાલયોમાં રાષ્ટ્રીય ધ્વજ સહેજ નમેલા રહેશે અને કોઈ મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
રાજ્યપાલ બેબી રાની મૌર્યે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુદર્શન અગ્રવાલ મૂળે પંજાબના લુધિયાણાના રહેવાસી હતા.
