ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાના જવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી દિવાળી પર્વની ઉજવણી
Live TV
-
આ પ્રસંગે જવાનો સાથે તેમણે અનેક પ્રકારની વાતો કરી હતી અને પ્રધાનમંત્રીએ પૂર્વ સૈનિકોના કલ્યાણ માટે કરેલાં કાર્યોમાં વિશેષ રૂપથી વન રૅન્ક વન પૅન્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અંધકાર પર પ્રકાશના પર્વ દિવાળી ની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જવાનો સાથે તેમણે અનેક પ્રકારની વાતો કરી હતી અને પ્રધાનમંત્રીએ પૂર્વ સૈનિકોના કલ્યાણ માટે કરેલાં કાર્યોમાં વિશેષ રૂપથી વન રૅન્ક વન પૅન્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતીય સશસ્ત્ર દળોને વિશ્વ ભરમાં અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રો શાંતિ રક્ષક અભિયાનમાં ઘણી પ્રશંસા અને સરાહના મળે છે. પ્રધાનમંત્રીએ પવિત્ર યાત્રાધામ કેદારનાથના પણ દર્શન કર્યા હતા.
