ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ શિકાગોમાં ,બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસને સંબોધિત કરી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ શિકાગોમાં ,બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિએ સ્વામી વિવેદાનંદને યાદ કર્યા હતા. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, હિન્દુત્વ જીવન જીવવાની પદ્ધતિ છે, ફક્ત ભારત જ એવો દેશ છે જેને બધા ધર્મોને તેના વાસ્તવિક રૂપમાં સ્વિકાર કર્યો છે અને એક સમયે ભારતને વિશ્વ ગુરૂ માનવામાં આવતું હતું. ભારત બધાને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને એટલું સન્માન આપવામાં આવે છે કે દેશમાં બધી નદીઓના નામ મહિલાઓના નામ પર છે. દેશને પિતૃભુમિ નહીં પણ માતૃભુમિ કહેવામાં આવે છે. ઉપ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુએ પોતાની શિકાગો યાત્રા દરમિયાન વેપારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી અને વિભિન્ન વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી.
