ઉપરાષ્ટ્રપતિ ત્રણ દેશોની યાત્રા કરીને સ્વદેશ પરત ફર્યાં
Live TV
-
ઉપરાષ્ટ્રપતિએ આ યાત્રા દરમિયાન સોમવારે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યપર્ણ સિંધિ, દેશની સુરક્ષા હેતુ પરમાણુ પરિક્ષણમાં સહયોગ, ડિપ્લોમેટિક અને ઓફિશિયલ પાસપોર્ટ ધારકો માટે વિઝા લેવામાં છૂટ એમ ત્રણ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડૂ ત્રણ દેશો બોત્સ્વાના, જિમ્બાબ્વે અને મલાવીની યાત્રા કરીને પરત ફર્યાં છે. ઉપરાષ્ટ્રપતિએ આ યાત્રા દરમિયાન સોમવારે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યપર્ણ સિંધિ, દેશની સુરક્ષા હેતુ પરમાણુ પરિક્ષણમાં સહયોગ, ડિપ્લોમેટિક અને ઓફિશિયલ પાસપોર્ટ ધારકો માટે વિઝા લેવામાં છૂટ એમ ત્રણ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સોમવારે મલાવીના રાષ્ટ્રપતિ પીટર આર્થર મુથારિકા સાથે લિંલોંગ્વેમાં મુલાકાત કરી હતી અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય વાતચીત દરમિયાન અનેક મહત્વના વિષયો પર ચર્ચાં કરવામાં આવી હતી. ભારત મલાવીને સરળ શરતો પર 21 કરોડ ડોલરથી વધુ રકમની લોન પણ આપશે
