ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ 3 યુરોપીય દેશોની યાત્રાના બીજા ચરણમાં માલ્ટા પહોંચ્યા
Live TV
-
ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ 3 યુરોપીય દેશોની યાત્રાના બીજા ચરણમાં માલ્તા પહોંચ્યા, જ્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ઉપરાષ્ટ્રપતિએ માલ્તામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દાઓ પર સંવાદ કર્યો. તેમણે જણાવ્યુ કે આમા કોઇ આશ્ચર્યની વાત નથી કે દુનિયાના તમામ ભાગોમાં, ભારતીયો, આટલુ અદભુત કામ અને તરક્કી કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે સરકાર દુરંદેશી લક્ષ્યોને હાંસલ કરવા માટે યોજના બનાવી રહી છે. જે લોકોનો સરકાર પર ભરોસો છે. જે ઉજ્જવળ ભવિષ્યની નીંવ રાખવા માટે દેશની જનતા સરકારની સાથે મળીને મુશ્કેલીઓનો સમાનો કરવા પણ તૈયાર છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ભારતીય સમુદાયની સુવિધા માટે પ્રવાસી ભારતીય કેન્દ્રને સંસાધન કેન્દ્રના રૂપે ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય ઇ વીઝા જેવા સુવિધાઓની પણ સરકારે શરૂઆત કરી છે
