ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું કરશે ઉદ્ઘાટન
Live TV
-
ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું કરશે ઉદ્ઘાટન
ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કરશે. આ અવસરે રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી પણ હાજર રહેશે. તો રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને પણ આમંત્રણ અપાયું છે. સંસદ ભવન પરિસરમાં મહાન નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમા સ્થાપિત છે.
આ મહાન-ભારતીઓએ આપણા દેશના ઈતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ મહાનુભાવોની પ્રતિમા સંસદ પરિસરમાં અલગ-અલગ જગ્યા પર સ્થાપિત કરાયેલ હોવાથી મુલાકાતીઓને જોવામાં મુશ્કેલી પડતી હતી. જેથી હવે આ પ્રતિમાઓને સંસદ ભવન પરિસરની અંદર તેના સ્થાન પર સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી "પ્રેરણા સ્થળનું" નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સંસદ ભવન પરિસરમાં આવનાર ગણમાન્ય લોકો આ પ્રતિમાને એક જ સ્થાન "પ્રેરણા સ્થળ" પર જોઈ શકે અને શ્રદ્ધાંજલિ આપી શકે.
