ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સંસદ ભવન પરિસરમાં વિવિધ મહાનુભાવોની પ્રતિમા અલગ-અલગ જગ્યા પર સ્થાપિત કરાયેલા હોવાથી મુલાકાતીઓને તે જોવામાં મુશ્કેલી પડતી હતી.
આ પ્રતિમાઓને સંસદ ભવન પરિસરની અંદર તેના સ્થાન પર સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી"પ્રેરણા સ્થળનું" નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સંસદ ભવન પરિસરમાં આવનાર ગણમાન્ય લોકો આ પ્રતિમાને એકજ સ્થાન "પ્રેરણા સ્થળ" પર, જોઈ શકે અને શ્રદ્ધાંજલિ આપી શકશે
