ઉ. ભારતના રાજ્યોમાં તાપમાન સામાન્ય વધશે, ઠંડીમાં મળશે રાહત
Live TV
-
ઉત્તર ભારતમાં ભીષણ ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગે રવિવારે તાપમાનમાં વૃદ્ધિ થશે તેવી શક્યતા જણાવી છે.
વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ત્રણ દિવસોમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થવાની શક્યતા છે.
દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધશે, જેથી ઠંડી ઓછી થવાની શક્યતા છે. જો કે આજે સવારે દિલ્હીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
