એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે જાહેર કરવામાં આવી ગાઇડલાઇન
Live TV
-
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે ત્યારે એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડ લાઇન પ્રમાણે જે લોકો ઘરે જ આઇસોલેટ થયાં હોય અને સતત 5 દિવસથી તાવ આવી રહ્યો હોય તેવા લોકોને બુડેસો નાઇડ ઇનહેલર અથવા લિવો-લીન ઇનહેલરનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે. રેમડેસિવિરની અછત વચ્ચે ડોક્ટરના માર્ગદર્શન મુજબ મેડ્રોલ સ્ટીરોઇડનો ઉપયોગ કરવાનું પણ જણાવાયું છે.
