એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમમાં ભાગ લેનારા યુવકોને રેલ વિભાગે પચાસ ટકા છૂટ આપવાનો નિર્ણય કર્યો
Live TV
-
રેલવે વિભાગે એક ભારત, શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાનોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા એવા યુવાનોને આ છૂટછાટ આપવામાં આવશે, જેમનો મૂળ પગાર મહિને પાંચ હજાર રૂપિયાથી વધુ નહીં હોય. રેલવે મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રેલવે ભાડામાં આ મુક્તિ ખાસ કરીને ફક્ત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપવામાં આવી છે અને તે ફક્ત સામાન્ય રેલ્વે સેવાઓમાં જ ઉપલબ્ધ થશે. આ સુવિધા વિશેષ ટ્રેનો અથવા કોચમાં મળશે નહીં. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ત્રણસો કિલોમીટરથી વધુના અંતરે રીટર્ન ટિકિટ પણ આપી શકાય છે. જો કે આ છૂટ તેઓને જ મળશે જેઓ જરૂરી પ્રમાણપત્રો જમા કરાવશે..
