એનડીએ સરકારની આર્થિક નીતી સૌથી શ્રેષ્ઠ રહી: અરુણ જેટલી
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ દાવો કર્યો છે, કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એનડીએ સરકાર દ્વારા થયેલા આર્થિક સુધારા સૌથી વધુ શ્રેષ્ઠ રહ્યા. ટિવટર પર મુકેલા વીડિયો સંદેશામાં અરૂણ જેટલીએ જણાવ્યું છે
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ દાવો કર્યો છે, કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એનડીએ સરકાર દ્વારા થયેલા આર્થિક સુધારા સૌથી વધુ શ્રેષ્ઠ રહ્યા. ટિવટર પર મુકેલા વીડિયો સંદેશામાં અરૂણ જેટલીએ જણાવ્યું છે , કે અનેક માપદંડો મુજબ સમીક્ષા કરતાં નિઃશંકપણે કહી શકાય તેમ છે, કે એનડીએ સરકારની આર્થિક નીતી સૌથી શ્રેષ્ઠ રહી છે. તેમણે દાવો કર્યો, કે એનડીએ શાસન દરમ્યાન સૌથી ઉંચો વિકાસ દર હાંસલ કરી શકાયો છે, અને ફૂગાવો પણ ઘટ્યો છે. એનડીએ શાસનકાળમાં માળખાકીય સુવિધા હાઈવે નિર્માણમાં પણ, હરણફાળ ભરવામાં આવી છે.
