પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિયો સેતુના માધ્યમથી દેશભરના લગભગ 25 લાખ ચોકીદારોને સંબોધન કરશે
Live TV
-
હું પણ ચોકીદાર અભિયાન હેઠળ કરવામા આવેલી પહેલનો આ પ્રથમ ભાગ હશે. બીજેપીએ જણાવ્યું છે, કે આ ક્રમમાં નરેન્દ્ર મોદી 31 માર્ચે એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના લગભગ 500 સ્થળોએથી એ ચોકીદારો સાથે પણ વાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હોળીની પૂર્વ સંધ્યાએ ઓડિયો સેતુના માધ્યમથી દેશભરના લગભગ 25 લાખ ચોકીદારોને સંબોધન કરશે અને તેમની સાથે હોળીના રંગો મનાવશે. હું પણ ચોકીદાર અભિયાન હેઠળ કરવામા આવેલી પહેલનો આ પ્રથમ ભાગ હશે. બીજેપીએ જણાવ્યું છે, કે આ ક્રમમાં નરેન્દ્ર મોદી 31 માર્ચે એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના લગભગ 500 સ્થળોએથી એ ચોકીદારો સાથે પણ વાત કરશે જે હું પણ ચોકીદાર અભિયાન સાથે જોડાયેલા છે.
