એમ્સના દિક્ષાંત સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, થોડાં વર્ષોથી કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ સક્ષમ કર્યું છે. ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રેને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ રહી છે
ત્રુષિકેશ ખાતે, આજે એમ્સના દિક્ષાંત કાર્યક્રમમાં મુખ્ય અથિતિ ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં . ઉપરાંત કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી, ડો હર્ષવર્ધન સાથે ,માનવ સંશાધન વિકાસ મંત્રી, રમેશ પોખરીયાલ પણ ,દિક્ષાંત કાર્યક્રમમાં હાજરીઆપી હતી. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, થોડાં વર્ષોથી કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ સક્ષમ કર્યું છે. ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રેને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. દેશમાં 22 એમ્સ ખોલવાનો ઉદેશ્ય કેન્દ્ર સરકારનો છે. આ યોજના અંતર્ગત દરેક રાજ્યમાં એક એમ્સની સ્થાપના થશે. આ પ્રસંગે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વાસ્થ્ય સેવા વધુ સરળ અને સક્ષમ થઈ રહી છે. તો આ પ્રંસગે માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ જણાવ્યું કે અટલજીની સરકારમાં જે 6 એમ્સની શરૂઆત થઈ હતી. આજે 22 એમ્સના લક્ષ્ય પર પહોંચવા કેન્દ્ર સરકાર કાર્યરત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત માટે કેન્દ્ર સરકાર નક્કર પગલાં લઈ રહી છે.
