એર ઈન્ડિયાનું સર્વર કાર્યરત થયું, ફ્લાઈટમાં વિલંબ થવા બદલ મુસાફરો સમક્ષ ખેદ વ્યક્ત કર્યો
Live TV
-
એર ઈન્ડિયાનું સર્વર હવે કાર્યરત થયું છે. એર લાઈન્સના CMD અશ્વીની લોહાએ જણાવ્યું હતું કે શનિવારે સવારે 3.30 કલાકે સર્વર ડાઉન થયું હતું. તેનાથી દુનિયાભરમાં ઉડાન પ્રભાવિત થઈ હતી. જેથી એર ઈન્ડિયા પ્રવાસીઓને બોર્ડિંગ પાસ ઈશ્યુ કરી શકયા ન હતા. ફ્લાઈટમાં વિલંબ થવા બદલ એર ઈન્ડિયાએ મુસાફરો સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે. ગત વર્ષે 23 જૂને એર લાઈન્સના ચેક ઈન સોફ્ટવેરમાં ટેકનીકલ ખામી આવી હતી. તેનાથી 25 ડોમેસ્ટીક ઉડાણમાં મોડું થયુ હતું. CMD અશ્વીની લોહાએ કહ્યું હતું, કે આજે સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
