એસ.જયશંકરે સ્વીડનમાં ભારતીય સમુદાય સાથે, કહ્યું દુનિયામાં ભારતની તાકાત વધી
Live TV
-
વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે જાણકારી આપી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વિડન ઐતિહાસિક રીતે , મહત્વનો ભાગીદાર રહ્યો છે. આ ઉપરાંત ,બંને દેશો ઔદ્યોગિક પરિવર્તન મુદ્દે પણ એકસાથે ચાલી રહ્યા છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ,આશરે 300 સ્વિડિશ કંપનીઓ હાજરી ધરાવે છે. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ,બંને દેશો વિકસીત થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. તેની સાથે વિદેશ મંત્રીએ ,સંયુક્ત રાષ્ટ્રીયની સ્થાયી સદસ્યતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ આફ્રિકન અથવા લેટિન અમેરિકાનો દેશ નથી અને સમય જતા, સંયુક્ત રાષ્ટ્રના પ્રભાવ અંગે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે.
