એસ. જયશંકરે આજે ઔપચારિકરૂપે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરી
Live TV
-
કેન્દ્ર સરકારમાં હાલ વિદેશ મંત્રીનું પદ સંભાળી રહેલાં એસ. જયશંકરે આજે ઔપચારિકરૂપે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરી છે. જોકે હાલ તેઓ કોઈ સદનના સદસ્ય નથી. પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકર પ્રથમ એવા વિદેશ સચિવ છે જેઓ વિદેશ મંત્રી પણ બન્યાં છે. તેમને ચીન અને અમેરિકાની બાબતોનાં વિશેષજ્ઞ પણ માનવામાં આવે છે. તેમણે અમેરિકા અને ચીનમાં ભારતના રાજદૂત પદ ઉપર કામ કરેલું છે.
