ઓબીસી સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનુ સન્માન કર્યુ
Live TV
-
એસ.સી-એસ.ટી.બીલ પસાર થતા પ્રધાનમંત્રી પર અભિનંદન વર્ષા વરસી.
ભાજપ સંસદીય પક્ષની આજે મળેલી બેઠકમાં પક્ષના ઓબીસી સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનુ સન્માન કર્યુ હતું. ઓબીસી પંચને બંધારણીય દરજજો આપતો ખરડો સંસદમાં પસાર થતા તેમજ લોકસભામાં મુળ જોગવાઈઓ ધરાવતું એસ.સી-એસ.ટી.બીલ પસાર થતા પ્રધાનમંત્રી પર અભિનંદન વર્ષા વરસી હતી.પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન સંસદ સત્ર સામાજીક ન્યાય સત્ર હોવાનું જણાવ્યુ હતુ.બેઠકમાં 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી સામાજીક ન્યાય પખવાડિયુ મનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.સમગ્ર દેશમાં સત્રનું આયોજન થશે.ભાજપના વરિષ્ઠ નેતા અનંતકુમારે જણાવ્યુ હતુ કે બેઠકમાં થયેલા નિર્ણય મુજબ ભાજપ દર વર્ષ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી સામાજીક ન્યાય સપ્તાહ મનાવશે.
