ઓલાફ સ્કોલ્ઝ જર્મનીના નવા ચાન્સલર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા
Live TV
-
ઓલાફ સ્કોલ્ઝ જર્મનીના નવા ચાન્સલર બન્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબુત કરવા સાથે મળીને કામ કરવા તત્પર છું.આ સાથે એન્જેલા મર્કેલના 16 વર્ષના શાસનનો અંત આવ્યો છે. ઓલાફ સ્કોલ્ઝના ત્રણ પક્ષીય ગઠબંધનને જર્મન સંસદમાં બહુમતી પ્રાપ્ત છે. 63 વર્ષીય સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી સપ્ટેમ્બરમાં ચૂંટણી જીતી હતી.
