કર્ણાટકમાં યેદિયુરપ્પાના મંત્રીમંડળનો વિસ્તાર, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
Live TV
-
આજે કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પા મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ બેંગ્લોરમાં રાજભવનમાં 17 મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા છે.
શપથ લેનાર મંત્રીઓમાં ગોવિંદ કરજોલ, અશ્વથ નારાયણ સી.એન., લક્ષ્મણ સાવદી, કે.એસ. ઈશ્વરપ્પા, આર. અશોક, જગદીશ શેટ્ટાર, બી. શ્રીરામુલુ, એસ. સુરેશકુમાર, વી. સોમન્ના, સી.ટી. રવિ, બસવરાજ બોમ્બઈ, કોટા શ્રીનિવાસ પૂજારી, જે.સી. મધુ સીમી, સી.સી. પાટિલ, એચ. નાગેશ, પ્રભુ ચૌહાણ અને શશિકલા જોલે સામેલ છે.
યેદિયુરપ્પા 26 જુલાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેમણે 29 જુલાઈના રોજ વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરી હતી.
