કર્ણાટક: ભાજપના નેતાઓ દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા
Live TV
-
કર્ણાટક માં સરકાર બનાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપના નેતા જગદીશ શેટ્ટાર અને અરવિંદ લિમ્બાવલી સહિત સીનિયર નેતા અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સરકાર બનાવવા વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી બનનાર બી.એસ. યેદિયુરપ્પા માટે કેબિનેટ મંડળ બનાવવું સૌથી મોટો પડકાર છે. આ પહેલા 23 જુલાઈએ કોંગ્રેસ-જે.ડી.એસ.ની ગઠબંધન સરકાર બહુમત સાબિત કરી શકી નહતી. તે સમયે કુમારસ્વામી ના વિશ્વાસ મત પ્રસ્તાવના પક્ષમાં 99 અને વિરોધમાં 105 વોટ પડ્યા હતા. હવે બી.એસ. યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બની શકે છે.
