દૂરદર્શન ભવનમાં વીડિયો વૉલનું ઉદ્દઘાટન
Live TV
-
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઉદ્ઘાટન કર્યું
દિલ્હી સ્થિતિ દૂરદર્શન ભવનમાં વીડિયો વૉલનું ઉદ્દઘાટન કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે કરવામાં આવ્યું..પોતાના સંબોધનમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દૂરદર્શન મતલબ વિશ્વસનિયતા..સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ચેનલ બનાવવાની ઘોષણા કરી છે અને દૂરદર્શનની ઓળખ સાચા અને સારા સમાચાર દર્શાવવાની છે..આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે, પ્રસાર ભારતીના અધ્યક્ષ ડો.એ સૂર્યપ્રકાશ, પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખર વેમ્પતિ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દૂરદર્શનને હંમેશા તેની વિશ્વસનિયતા માટે ઓળખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવીનીકરણથી લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં દૂરદર્શનની લોકપ્રિયતા વધારવામાં આવશે.
