કારગિલ દિવસ પર પીએમ મોદીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
Live TV
-
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી લખ્યું 'વીર સપૂતોને દિલથી નમન'
કારગિલ વિજ્ય દિવસની 20મી વર્ષગાંઠ દેશ મનાવી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરી વીર સપૂતોને નમન કર્યા..અને કેટલીક જુની તસ્વીરો પોસ્ટ કરી હતી..પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે, કારગિલ વિજય દિવસ પર મા ભારતીના તમામ વીર સપૂતોને વંદન કરું છું..આ દિવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણને યાદ અપાવે છે..આ અવસરે એ તમામ પરાક્રમી યૌદ્ધાઓને મારી શ્રદ્ધાંજલિ જેણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું..જય હિન્દ...
