કારગિલ વિજય દિવસની ઉજવણી
Live TV
-
કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવાના પ્રસંગે આજે નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડીયમમાં આયોજીત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચ્યા હતા.
કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવાના પ્રસંગે આજે નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડીયમમાં આયોજીત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચ્યા હતા. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત ત્રણે સેનાના પ્રમુખો, કારગિલ યુદ્ધમાં ભાગલેનાર સૈનિકો અને શહિદ સૈનિકોના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની વીરતા પ્રદર્શીત કરતી પ્રદર્શની નિહાળી હતી. સાથે દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. ત્યારબાદ સૈનિકો અને કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો પરની વિશેષ પ્રસ્તુતી માણી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય યુદ્ધમાં શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાજંલી આપતા કારગિલ વિજયને દેશ અને દેશવાસીઓ માટે શોર્ય અને પ્રેરણાદાયી ગાથા ગણાવી હતી.
