કાશ્મીરની સ્થિતિ પર લોકસભામાં હોબાળો, ગૃહમંત્રીએ કહ્યું, 'સ્થિતિ સામાન્ય છે'
Live TV
-
આજે લોકસભામાં 370ની કલમ હટાવ્યા બાદના જમ્મુ -કાશ્મીરની સ્થિતિ પર લોકસભામાં હંગામો થયો હતો.
વિપક્ષના સવાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપતા ફરી દોહરાવ્યુ હતું કે, કલમ-370ની નાબૂદી બાદ એક પણ ગોળી ઘાટીમાં ચાલી નથી.
તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને સ્થાનિક નેતાઓને છોડવા મામલે સ્થાનિક વહીવટી તંત્ર નિર્ણય લેશે. વધુમાં તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, પણ હું કોંગ્રેસની સ્થિતિ સામાન્ય કરી શકતો નથી. તેમને એવું લાગતું હતું કે, આ નિર્ણય પછી સ્થિતિ લોહીયાળ થશે, પણ એવું કંઈ જ બન્યું નથી.
ગૃહમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના રાજમાં પંચાયતની ચૂંટણી પહેલીવાર કરવામાં આવી છે. 99 ટકા બાળકોએ પરીક્ષાઓ આપી છે.
