ભારતમાં 2022 સુધી 100 ગીગાવૉટ સૌરઊર્જા ઉત્પાદનનું લક્ષ્યઃ પ્રકાશ જાવડેકર
Live TV
-
ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધનના વિકાસ તથા પ્રચાર માટે આહવાન કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પેનમાં કોપ -25 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ટુ ધ યુએન ફ્રેમવર્ક કન્વેશન ઓન ક્લાઈમેન્ટ ચેન્જ સંમેલનમાં ભાગ લીધો હતો.
આ સંમેલનમાં પ્રકાશ જાવડેકરે જીવાશ્મ ઈંધણ પર નિર્ભર ન રહેવાનું આહવાન આપ્યું હતું. આ સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે, ક્લાઈમેન્ટ ચેન્જ એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે અને એટલે જ તમામ દેશો સૂર્ય ઉર્જા તરફ વળી રહ્યા છે. માત્ર ચાર વર્ષમાં આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા ગઠબંધનમાં 83 દેશોનો સમાવેશ થયો છે. ભારતે વર્ષ 2022 સુધીમાં 100 ગીગા વોટ્સ સૂર્ય ઉર્જાનું લક્ષ્ય હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
