કાશ્મીરી ભાગલાવાદી નેતા મસરત આલમને દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરાયા
Live TV
-
દિલ્હીની પતિયાલા કોર્ટમાં આજે કાશ્મીરી ભાગલાવાદી નેતા મસરત આલમ ને રજુ કરવામાં આવ્યા હતા.
કાશ્મીર ખીણમાં થતી પથ્થરબાજીની ઘટના સંદર્ભમાં એનઆઈએ ભાગલાવાદી નેતા મસરત આલમ, શબ્બીર શાહ અને દુખ્તરાન -એ-મિલ્લ્તના વડા આસિયાને એક સાથે બેસાડીને પથ્થરબાજી અને ટેરર ફંડિંગ વિશે જાણકારી મેળવવા માંગે છે.
મસરત આલમ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા સહિતના અનેક આક્ષેપસર સંખ્યાબંધ કેસ દાખલ થયેલ છે. કોર્ટે ત્રણેયને 10 દિવસ માટે એન.આઈ. એ કસ્ટડીમાં સોંપ્યા હતા.
