કાશ્મીર મુદ્દે માત્ર દ્વિપક્ષીય વાર્તાઃ વિદેશમંત્રી એસ. જયશંકર
Live TV
-
અમેરિકી વિદેશ મંત્રીની સાથે દ્વિપક્ષીય વાર્તામાં ભારતે ફરી સ્પષ્ટ કર્યું પોતાનું વલણ, કહ્યુંકાશ્મીર મુદ્દા પર માત્ર પાકિસ્તાન સાથે થશે વાતચીત.
ભારતે એકવાર ફરી કાશ્મીર મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
ભારતે એકવાર ફરી કાશ્મીર મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપિયોની સાથે થયેલી દ્વિપક્ષીય વાર્તામાં આકરો સંદેશ આપતા કહ્યું કે, કાશ્મીરના મુદ્દા પર માત્રને માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના ટ્વીટમાં કહ્યું કે, આજે સવારે તેમણે અમેરિકી સમકક્ષ પોંપિયોને સ્પષ્ટ શબ્દોમાં માહિતી આપી કે કાશ્મીર પર જો કોઈપણ પ્રકારની ચર્ચા થાય છે તો માત્ર પાકિસ્તાનની સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય રૂપથી થશે.
