કુંભ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી
Live TV
-
તેમની સાથે આ પવિત્ર કાર્યમાં રાજ્યપાલ રામ નાયક તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ આરતી બાદ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ભારે ઠંડી વચ્ચે આસ્થાના સંગમમાં ડુબકી લગાવવા પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આજે પ્રયાગરાજના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે સંગમતટ ઉપર પહોંચી પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવી હતી. રાષ્ટ્રપતિએ વૈદીક મંત્રોચ્ચાર સાથે પ્રયાગરાજ સંગમ ખાતે પવિત્ર જળમાં દૂધ અર્પણ કર્યું હતું. દેશમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર નદી ગંગા નદીના ત્રિવેણી ખાતે બપોરના સમયે પૂર્વાભિમૂખ થઈ રાષ્ટ્રપતિએ આરતી કરી હતી. તેમની સાથે આ પવિત્ર કાર્યમાં રાજ્યપાલ રામ નાયક તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ આરતી બાદ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. દેશના કલ્યાણ, લોકકલ્યાણ માટે આ પૂજા કરવામાં આવી હતી. અહીંથી તેઓ પરમાર્થે નિકેતન જઈ મહાયજ્ઞમાં હાજરી આપનાર છે.
