વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી
Live TV
-
વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ ભારતના વિકાસ માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીને વર્ષ 2015 માટે, વર્ષ 2016 માટે મધ્યાન ભોજન તરીકે ઓળખાતી ખાનગી સંસ્થા અક્ષયપાત્ર અને શૌચાલય માટે જાણીતી સંસ્થા સુલભ ઇન્ટરનેશનલને પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત જનજાતિ વિસ્તારમાં બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપતી સંસ્થા એકલ અભિયાન ટ્રસ્ટને વર્ષ 2017 માટે અને ભારત સહિત દુનિયામાં લેપ્રેસી માટે કાર્ય કરનાર સંસ્થાના શ્રી યોહી સાસાકાવાને 2018 માટે પુરસ્કાર અપાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પુરસ્કાર વિજેતાઓને શુભકામના આપી છે.
