કુપવાડાના માછિલ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં આતંકીઓએ નાપાક હરકત કરી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી કડક કાર્યવાહી કરી હતી, જેમાં 3 આતંકી ઠાર કર્યા છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ફરી સુરક્ષા દળો તથા આંતકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુપવાડાના માછિલ સેક્ટરમાં આંતકવાદીઓ ઘૂસી જવાની માહિતી મળતા સુરક્ષા દળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આંતકીઓએ સુરક્ષા દળના જવાનો પર હુમલો કરતાં જવાનોએ સામે ગોળીબારમાં કર્યા હતા. જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. માછિલ સેક્ટરમાં છુપાયેલા આતંકીઓનું સર્ચ ઓપરેશન યથાવત છે. સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
