કૃષિના મૂળભૂત માળખાને વેગ આપવા અને મજબૂત કરવા સરકાર 1 લાખ કરોડ આપશે
Live TV
-
આર્થિક પેકેજ પર નાણા મંત્રીની ત્રીજી પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવી. આજે જાહેર થનારા પેકેજમાં ખેતી સંબંધિત 11 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ખેડૂતો માટે આજે વાત કરતા નાણાં મંત્રીએ કહ્યું કે, કોરોનાના સંકટ સમયમાં મોદી સરકારે ખેડૂતોની મદદ કરી છે અને લૉકડાઉનમાં પણ સરકારે ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. ખેડૂત ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. લોકડાઉન દરમ્યાન ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 74,300 કરોડ રૂપિયાનો પાક ખરીદવામાં આવ્યો. ખેડૂતોને પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને પાક વીમા યોજનામાં 6,400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ સાથે 2 કરોડ ખેડૂતોને વ્યાજમાં સબ્સિડી આપવામાં આવી છે તેમ નાણાં મંત્રીએ આર્થિક પેકેજની ત્રીજી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.
